REUTERS/Almaas Masood/File Photo

ભારત અને આઇસલેન્ડ વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે એર ઇન્ડિયા અને આઇસલેન્ડએરે એક નવા કોડશેર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એમ એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું  હતી. નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ની 81મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન કોડશેર કરાર કરાયા હતાં.

આ કરારથી મુસાફરો ભારત અને યુરોપના 15 રૂટ પર વધુ સરળતાથી મુસાફરી કરી શકશે. એર ઇન્ડિયાના ગ્રાહકો હવે મુખ્ય યુરોપિયન હબ દ્વારા આઇસલેન્ડએર સેવાઓનો ઉપયોગ કરીને આઇસલેન્ડની રાજધાની રેકજાવિક માટે ફ્લાઇટ્સ બુક કરી શકશે. આ હબમાં લંડન હીથ્રો, લંડન ગેટવિક, ફ્રેન્કફર્ટ, પેરિસ, એમ્સ્ટરડેમ, કોપનહેગન, મિલાન અને ઝુરિચનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ્સમાં એર ઇન્ડિયાનો ‘AI’ ફ્લાઇટ કોડ હશે.

બદલામાં આઇસલેન્ડએરના ગ્રાહકોને ભારતીય શહેરો માટે એર ઇન્ડિયા સંચાલિત ફ્લાઇટ્સની સુવિધા મળશે. આમાં દિલ્હીથી એમ્સ્ટરડેમ, પેરિસ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ અને લંડન હીથ્રો, તેમજ મુંબઈથી ફ્રેન્કફર્ટ અને લંડન હીથ્રોના જોડાણોનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ્સ પર આઇસલેન્ડએરનો ‘FI’ ફ્લાઇટ કોડ પ્રદર્શિત થશે.

એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે “આઇસલેન્ડએર સાથે આ કોડશેર ભાગીદારી શરૂ કરવાનો અમને આનંદ છે, જે વિશ્વને જોડવા માટે પ્રતિબદ્ધ બે એરલાઇન્સને એક કરે છે. અમે ભારતના ગતિશીલ સ્થળો અને આઇસલેન્ડના અસાધારણ લેન્ડસ્કેપ્સ વચ્ચે એક સીમલેસ સેતુ બનાવી રહ્યા છીએ. આ ભાગીદારી આઇસલેન્ડએરના ગ્રાહકોને ભારતના વિવિધ સ્થળો સુધી સીમલેસ ઍક્સેસ પ્રદાન કરતી વખતે અમારી વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવાની એર ઇન્ડિયાની મહત્વાકાંક્ષાને દર્શાવે છે.

LEAVE A REPLY