પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જવાની છે, જેમાં તે ચાર ટેસ્ટ મેચ, પાંચ ટી-20 અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ રમશે. હાલના કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાના સંદર્ભમાં પહેલા તો આ સીરીઝ ભારતમાં રમાશે કે નહીં તે નિશ્ચિત નહોતું, ભારતમાં ના રમાય તો એ યુએઈમાં રમાવાનો વિકલ્પ હતો, પણ ગયા સપ્તાહે ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ્સે તે ભારતમાં જ રમવા વિષે સંમતિ દર્શાવી સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દીધો હતો. તે મુજબ સીરીઝ ફક્ત ત્રણ શહેરોમાં રમાશે, જેમાં ચેન્નાઈ, અમદાવાદ અને પૂણેનો સમાવેશ થાય છે.