(ANI Photo)

ભરુણ જિલ્લાની દહેજમાં કેમિકલ કંપની ભારત રસાયણના પ્લાન્ટમાં મંગળવારે બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 25થી વધુ લોકો દાઝી ગયા હતા. બાઇલરમાં બ્લાસ્ટને કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. દુર્ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ કર્યા હતા. ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સમાં મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દહેજની આ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે પ્રચંડ ધડાકો થયો હતો. કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.