વેસ્ટ લંડનના ગ્રીનફર્ડમાં આવેલ શ્રી જલારામ મંદિરમાં જાણીતા સાપ્તાહિક ગરવી ગુજરાતના અંકોનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને તેને મંદિરના દર્શનાર્થીઓ તરફથી અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો હતો.

સંત જલારામ બાપાના ઉપદેશોને સમર્પિત શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર પ્રાર્થના, ભક્તિ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદાન કરે છે. મંદિર તેના સખાવતી કાર્યો માટે જાણીતું છે, જેમાં બેઘર લોકો માટે મફત રસોડું અને લંડનમાં સેંકડો લોકોને સાપ્તાહિક ખોરાક વિતરણ કરે છે. મંદિર એકતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગરવી ગુજરાત દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ અને દર્શનાર્થીઓનો સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કરાયો હતો.