ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 5469 કેસો નોંધાયા હતા અને 54 દર્દીના મોત થયા હતા. નવા કેસ સામે 2,976 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાનો કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 90.69% જેટલો રહ્યો હતો.
રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને કુલ 27,568 હતી જેમાંથી 203 દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને 23365 દર્દીઓ સ્ટેબલ હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે થયેલા 54 દર્દીના મોતમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 5, બનાસકાંઠામાં 2, સુરતમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું હતા.

રવિવારે અમદાવાદમાં 1504, સુરતમાં 1087, રાજકોટમાં 405, સુરતમાં 361 નવા કેસો નોંધાયા હતા. જો ગુજરાતના અન્ય શહેરોમાં જામનગરમાં 189, મહેસાણામાં 127, પાટણમાં 124, ભાવનગરમાં 68, ગાંધીનગરમાં 56, મોરબીમાં 54, કચ્છમાં 53, નર્મદામાં 50, બનાસકાંઠામાં 49, નવસારીમાં 47, દાહોદમાં 46, અમરેલીમાં 42, ભરૂચમાં 41, જુનાગઢમાં 41, પંચમહાલમાં 40, ખેડામાં 39, સાબરકાંઠામાં 37, આણંદ અને વલસાડમાં 31-31, અરવલ્લીમાં 28, સુરેન્દ્રનગરમાં 28, બોટાદમાં 27, મહીસાગરમાં 26, દેવભૂમિ દ્વારકામાં 21, ગીર સોમનાથમાં 20 નવા કેસો નોંધાયા હતા.

રાજ્યમાં રવિવારે કુલ 2,20,994 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 80,55,986 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 10,67,733 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 91,23,719 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા.