મનરેગા કૌભાંડમાં જામીન મળ્યાના થોડા દિવસો પછી બીજા એક કેસમાં રવિવારે ગુજરાતના પ્રધાન બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી. ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્યપ્રધાનના પુત્રો, બળવંત અને કિરણને એપ્રિલમાં તેમની સામે નોંધાયેલી પહેલી FIRમાં 29 મેના રોજ જામીન પર મુક્ત કરાયા હતાં.
ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જગદીશસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે, કિરણની તે જ દિવસે બીજા કેસમાં ધરપકડ કરાઈ હતી, જ્યારે દાહોદ ‘બી’ ડિવિઝન પોલીસે શનિવારે તેની સામે નવી એફઆઈઆર નોંધ્યા બાદ રવિવારે બળવંતની ધરપકડ કરી હતી.
અગાઉ 16 મેના રોજ, ૭૧ કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડના સંદર્ભમાં એપ્રિલમાં પહેલી એફઆઈઆર નોંધાયા બાદ બળવંત અને કિરણ બંનેની છેતરપિંડી, બનાવટી અને વિશ્વાસઘાતના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.29 મેના રોજ બંનેને જામીન મળ્યા હતાં, પરંતુ દાહોદ પોલીસે કિરણ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેને નવા કેસમાં ધરપકડ કરી હતી.
