પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું હતું કે તે ચોખાની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવા માટે ભારતને પ્રોત્સાહિત કરશે. ભારતના નિયંત્રણોથી વૈશ્વિક ફુગાવાને અસર થશે. ભારત સરકારે 20 જુલાઈના રોજ સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારોની મોસમ દરમિયાન છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ભારતની ચોખાની કુલ નિકાસમાંથી બિનબાસમતી ચોખાનો હિસ્સો આશરે 25 ટકા છે. IMFના ચીફ ઇકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગૌરીનચાસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલના વાતાવરણમાંઆ પ્રકારના નિયંત્રણો બાકીના વિશ્વમાં ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતામાં વધારો કરે તેવી શક્યતા છે. બીજી દેશો પર વળતા પગલાં લઈ શકે છે. તેથીતે અમે આ પ્રકારના નિકાસ પ્રતિબંધોને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરીશું કારણ કે તે વૈશ્વિક સ્તરે નુકસાનકારક હોઈ શકે છે. 

ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 2022-23માં USD 4.2 મિલિયન હતી જે અગાઉના વર્ષમાં USD 2.62 મિલિયન હતી. ભારતના બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસના મુખ્ય સ્થળોમાં યુએસથાઇલેન્ડઇટાલીસ્પેન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.  

LEAVE A REPLY

twelve − eleven =