Inclusion of Modhera Sun Temple in Vadnagar, Gujarat in UNESCO World Heritage
(ANI Photo)

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર અને મોઢેરા સૂર્યમંદિરે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (WHS) ની કામચલાઉ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના એક ટ્વીટ અનુસાર, યાદીમાં ભારતની ત્રીજી સાઇટ ઉનાકોટીના શિલ્પમાંથી કોતરવામાં આવેલા શિલ્પોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, જેમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, રાણીની વાવ (રાણીની વાવ), ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરા. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાનું અભયારણ્ય 2006થી કામચલાઉ યાદીમાં છે.

મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. 1026-1027 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે, જેમાં ગૃહમંડપ, તીર્થમંડપ, અને સભામંડપ છે. જયારે કુંડ, જળાશય પણ આવેલ છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળની નગરપાલિકા છે.

સૂર્યમંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્યમંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.

શિલ્પકલાના અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.

મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્યમંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે.આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે.

LEAVE A REPLY

10 − eight =