મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતે સોમવાર, 15 નવેમ્બર 2021ના રોજ અમેરિકા, યુકે, યુએઈ, કતાર, ફ્રાન્સ અને જર્મની સહિત 99 દેશોના ફુલી વેક્સિનેટેડ મુસાફરોને દેશમાં ક્વોરેન્ટાઈન ફ્રી એન્ટ્રીની પ્રવેશની મંજૂરી આપી છે. ભારતે ગયા માર્ચ મહિનામાં ટુરિસ્ટ વિઝા સસ્પેન્ડ કર્યા હતા અને વિદેશી પ્રવાસીઓને 15 ઓક્ટોબરથી ચાર્ટર પ્લેન મારફત ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ 99 દેશોના મુસાફરોએ ભારત જવાના તેમના પ્રસ્થાનના 72 કલાકની અંદર કોવિડ નેગેટિવ રિપોર્ટ ઉપરાંત, તેમનું સંપૂર્ણ રસીકરણ પ્રમાણપત્ર એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.

11 નવેમ્બરના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, ‘કેટલાક દેશો એવા છે કે જેમણે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અથવા WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીના રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા અંગે ભારત સાથે કરાર કર્યો છે. તેવી જ રીતે, એવા કેટલાક દેશો છે કે જેમની પાસે હાલમાં ભારત સાથે આવો કરાર નથી, પરંતુ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત અથવા WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીના આધારે સંપૂર્ણપણે રસી અપાયેલ ભારતીય નાગરિકોને મુક્તિ આપે છે. પારસ્પરિકતાના આધારે, ભારતીયોને ક્વોરેન્ટાઇન-ફ્રી એન્ટ્રી પ્રદાન કરતા આવા તમામ દેશોના પ્રવાસીઓને આગમન (કેટેગરી A દેશો) પર અમુક છૂટછાટ આપવામાં આવે છે