Black and Asian tenants suffer from poor housing in Britain
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2023માં જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીને લઈને મહેસૂલ વિભાગે હિતધારકો સાથે બેઠક કરી હતી. જંત્રીના દરોમાં વધારાને પગલે પ્રોપર્ટીના દસ્તાવેજ માટેની સરકારી ફી પણ બમણી થશે.

શનિવારે રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ગણતરી જંત્રી (ASR)ની મદદથી ગણવામાં આવે છે. વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના કિસ્સામાં, જમીન માલિકોને વળતર આપવા માટે ASRને આધાર તરીકે ગણવામાં આવે છે.

રાજ્યમાં 11 વર્ષ પછી નવા જંત્રીના દર અમલમાં આવશે, આ જંત્રીના દર હાલ એડહોક ધોરણે અમલ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં સર્વે સહિતની કામગીરીને ચાલુ રાખવામાં આવશે. અગાઉ માર્ચ 2011માં મહેસૂલ વિભાગ દ્વારા જંત્રીના સુધારેલા દર અમલમાં મુકવામાં આવ્યા હતા. માર્ચ 2011માં જંત્રીનો દર ખૂબ ઉંચો હોવાથી સરકારનો વિરોધ થયો હતો. નવી જંત્રીના દરને અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી.

સ્ટેમ્પ સુપરિન્ટેન્ડન્ટ જેનુ દેવને એક નિવેદનમાં હતું કે રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરી અને ગ્રામીણ વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓના કારણે બદલાતા સંજોગોને કારણે સ્થાવર મિલકતોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

LEAVE A REPLY

nineteen + 2 =