Javed Akhtar (Photo by SUJIT JAISWALAFP via Getty Images)

ભારત-યુકે કલા અને શૈક્ષણિક સંબંધો અને ભારતીય સંસદના ભૂતપૂર્વ સભ્ય અને પ્રતિષ્ઠિત કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરના યોગદાનની ઉજવણી કરવા માટે એક સ્વાગત સમારોહનું આયોજન એટલી સ્યુટ, હાઉસ ઓફ કોમન્સમાં શુક્રવાર 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.15-5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં પીઢ ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ શબાના આઝમી પણ ઉપસ્થિત રહેશે.

ઇલીંગ સાઉથોલના એમપી અને નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકેના પેટ્રન શ્રી વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ‘’મને ભારત-યુકે કલા અને શૈક્ષણિક સંબંધો અને જાવેદ અખ્તરના શબ્દો અને કાર્યોના પ્રભાવની આ ઉજવણીનું આયોજન કરતા આનંદ થાય છે. જાવેદ અખ્તરનો વારસો એક પ્રેરણા તરીકે કામ કરે છે, જે ભારત અને યુકે વચ્ચેના બંધનને મજબૂત કરવામાં કલાત્મક સહયોગની ઊંડી અસરની પુનઃ પુષ્ટિ કરે છે.’’

LEAVE A REPLY

19 − two =