Kesuda Tour begins at the Statue of Unity

નર્મદા જિલ્લામાં કેવિડયા ખાતેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ ટૂંકાગાળામાં વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને એક કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ છે. વસંત ઋતુના આગમન સાથે જ કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ હોળીના તહેવારના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ કેસુડા ટૂર માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. આ સમયગાળા દરમિયાન વન વિસ્તારોનું વાતવરણ જાણે સોળેકળાએ ખીલી ઉઠે છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું સામાન્ય તેમ છતાં અતિ મહત્વનું વૃક્ષ છે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ આપણે ત્યાં ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે.
કેસુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓ પ્રકૃતિની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને પણ માણી શકે છે.

પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવે છે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. પ્રવાસીઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેકિંગ પણ કરે છે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત પણ કરાવવામાં આવે છે.

LEAVE A REPLY

five × four =