અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. (PTI Photo)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને જાણીતા રામકથાકાર મોરારી બાપુ સહિતના અગ્રણીઓ મતદાન કર્યું હતું અને લોકોને લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા અનુરોધ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે તેમના પરિવાર સાથે અમદાવાદની શીલજ પ્રાથમિક શાળા મતાધિકારનો ઉપયોગ કર્યો અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો અને સામાજિક અને કોર્પોરેટ ક્ષેત્રના વડાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોરારી બાપુએ ભાવનગરમાં પોતાનો મત આપ્યો હતો અને કહ્યું કે મતદાન એ અધિકાર અને ફરજ બંને છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ભારતની લોકશાહીને સમગ્ર વિશ્વમાં આદર આપવામાં આવે છે, ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં મતદાનનો તહેવાર ચાલી રહ્યો છે. એક નાગરિક તરીકે, મત આપીને હું મારો અધિકાર અને ફરજ બજાવું છું. દરેક વ્યક્તિએ પોતાનો મત આપવો જોઈએ.

 

LEAVE A REPLY

two − 1 =