Satya Nadella, awarded the Padma Bhushan in the US
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા (REUTERS Photo)

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના 26 વર્ષના પુત્ર ઝૈનનું સોમવાર સવારે નિધન થયું હતું.. નડેલાના પુત્ર ઝૈનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી. માઈક્રોસોફ્ટે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા આ અંગે જાણકારી આપી હતી.

સત્ય નડેલા 2014થી માઈક્રોસોફ્ટના CEO છે. તેમના પુત્રની સારવાર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃત્યુ બાદ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરિંગે બોર્ડને એક સંદેશમાં જણાવ્યું હતું કે, ‘ઝૈનને તેમની સંગીતની પસંદગી માટે યાદ કરવામાં આવશે.’ તેમની શાનદાર મુસ્કાનથી તે દરેક વ્યક્તિને ખુશી મળતી હતી જે તેમને પ્રેમ કરતા હતા.