ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન પંકજ આર પટેલને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBl)ના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ ટાઈમ નોન-ઓફિશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ્સ કમિટી (ACC)એ પંકજ પટેલની આ પદ પર ચાર વર્ષ માટે નિમણૂક અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી, એમ કંપની બુધવારે જણાવ્યું હતું

ઝાયડસના પંકજ પટેલ વિવિધ ઈન્સ્ટિટ્યૂશન્સના બોર્ડમાં છે. મેમ્બર ઓફ ધ મિશન સ્ટીયરિંગ ગ્રુપ(MSG)ના બોર્ડમાં પણ તેઓ છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રચાયેલા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડમાં પણ તેઓ મેમ્બર છે. પંકજ પટેલ આઈઆઈએમ-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટીના ચેરમેન છે. આઈઆઈએમ-અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના પણ તેઓ મેમ્બર છે. અગાઉ 2016-17માં તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(FICCI)ના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે.