**EDS: TWITTER IMAGE POSTED BY @PMOIndia ON WEDNESDAY, AUG 5, 2020** New Delhi: Prime Minister Narendra Modi leaves for Ayodhya to attend the foundation laying ceremony of Ram Temple, in New Delhi. (PTI Photo)(PTI05-08-2020_000024B)

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

સીએમ યોગી આદિત્યનાથ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે અયોધ્યાના સાકેત કોલેજમાં બનેલા હેલિપેડ પર પહોંચી ચૂક્યા છે અને કોઇપણ સમયે પીએમ મોદીનું આગમન થઇ શકે છે. પીએમ મોદીએ અહીં આવ્યા બાદ સીએમ યોગી તેમનું સ્વાગત કરશે અને તમામ લોકો સીધા હનુમાનગઢી માટે નિકળશે.

રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત રામ જન્મભૂમિ કાર્યક્રમ માટે પહોંચી ચૂક્યા છે. તે ભૂમિ પૂજન માટે થનાર કાર્યક્રમ માટે બનેલા મંચ બેસનાર પાંચ લોકો સામેલ છે. લખનઉ એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા તો ત્યાં તેમના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની તસવીર પણ સામે આવી ચૂકી છે અને પીએમ મોદી વાયુસેનાના વિમાનથી ઉતરતા જોવા મળ્યા હતા.

રામ જન્મભૂમિ પર યોગગુરૂ બાબા રામદેવ, સ્વામી અવધેશાનંદ ગિરી, ચિદાનંદ મહારાજ અને અન્ય સાધુ સંત અત્યારે રામ જન્મભૂમિ નિર્માણ સ્થળ પર આવી ચૂક્યા છે અને તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહ જોઇ રહ્યા છે. રામ જન્મભૂમિ પૂજન સ્થળ પર તમામ આમંત્રિત ગણમાન્ય જન પહોંચી ચૂક્યા છે.

ત્યાં પર મહેમાનોને બેસવા માટેની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટેસિંગનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તમામ આમંત્રિત સંતગણ બીજી તરફ બેસ્યા છે. સાકેત કોલેજમાં બનેલા હેલિપેડ પર પીએમ મોદીનું હેલિકોપ્ટર લેડ કરશે અને થોડીવાર અયોધ્યા પહોંચીને પીએમ મોદી સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન અને પૂજા માટે નિકળશે. રામ જન્મભૂમિ પરિસરમાં ઉમા ભારતીએ કહ્યું કે અયોધ્યાએ તમામને એક કરી દીધા છે.

ઉમા ભારતીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે હવે તે રામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થશે અને તેમને રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારીએ આમ કરવા માટે કહ્યું છે. રામ મંદિર ભૂમિ પૂજન પહેલાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલનો કોરોના ટેસ્ટ થયો છે અને કોરોના ટેસ્ટ થયો અને બંને કોરોના નેગેટિવ આવ્યા છે.

આ ઉપરાંત યૂપીના બંને ઉપ-મુખ્યમંત્રી પણ કોરોના નેગેટિવ આવ્યા છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજના હાથમાં બકુલની લકડામાંથી બનેલું આ પાત્ર (શંકુ)ને જ આજે રામ મંદિર ભૂમિપૂજન માટે જમીનમાં રાખવામાં આવશે અને તેને ખાસ પાત્ર ઉપરાંત સોના ચાંદીની અભિમંત્રિત શ્રીયંત્ર પણ છે.