મથુરાવાસી વિખ્યાત ભાગવત કથાકાર પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી તા. 6-4-2024ના રોજ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર અર્થે લંડન પધારી રહ્યા છે. યુકેમાં કથા-સત્સંગ વગેરે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ તા. 3 મે 2024ના રોજ કથા-સત્સંગ વગેરે માટે અમેરિકાના ન્યુ જર્સી જવા રવાના થશે.

તેમની દેખરેખમાં ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરા – વૃંદાવનમાં ગર્ગાચાર્ય ગુરુકુળ સેવા ટ્રસ્ટ મથુરાના માધ્યમથી રોડ પર રખડતી, બીમાર તેમજ અસ્વસ્થ ગાયો માટે વૃંદાવનના પાની ઘાટ પાસે સ્થાપવામાં આવેલી ગોપાલ ગૌશાળામાં સેવાકાર્યો ચાલે છે. આ ઉપરાંત તેઓ બાલ મંદિર પણ ચલાવે છે. ગર્ગાચાર્ય ગુરૂકુલ ટ્રસ્ટ કમીટીએ યુકેવાસીઓને ઉદાર હાથે યોગદાન આપવા અપીલ કરી છે.

વધુ માહિતી માટે સંપર્ક : રાજુભાઇ આર. શાસ્ત્રી – 0091 94104 44962 Email: [email protected]

LEAVE A REPLY

three × 1 =