ભારતમાં ફિલ્મ ઉદ્યોગમાં પાયરસીને રોકવા અને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક સુધારા બિલ તાજેતરમાં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સિનેમેટોગ્રાફ એક્ટ, 1952માં સુધારો કરવા માટેનું બિલ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલથી ફિલ્મોમાં પાયરસીને રોકવામાં મદદ મળશે. બિલમાં સરકારે ફિલ્મોની પાઇરેટેડ નકલો બનાવનાર વ્યક્તિઓ માટે મહત્તમ ત્રણ વર્ષની જેલ અને ફિલ્મના નિર્માણ ખર્ચના પાંચ ટકા દંડની દરખાસ્ત કરી છે. સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ-2023માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને 10 વર્ષની માન્યતાના સમયને સમાપ્ત કરીને કાયમી માન્યતા ધરાવતી ફિલ્મોને પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ છે. આ બિલ ‘UA’ કેટેગરી હેઠળ ત્રણ વય-આધારિત પ્રમાણપત્રો દાખલ કરવાની જોગવાઈ કરે છે.
ભારત સિવાય દુનિયાભરના કલાકારો માટે પાયરસી એક મોટો પડકાર છે. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થાય છે. આ બિલથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થઈ રહેલા રૂ. 20,000 કરોડના નુકસાનને દૂર કરવાનો પ્રયાસ છે.

LEAVE A REPLY

thirteen + 1 =