(Photo by MOHAMMED FAROOQ/AFP via Getty Images)

ભારતનો એક વખતનો સ્ટાર ક્રિકેટર અને હાલમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહી ચૂકેલો સચિન તેંડુલકર તથા ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર યુસુફ પઠાણ ગયા સપ્તાહે કોરોનાગ્રસ્ત થયા હોવાનું તેમણે પોતે જાહેર કર્યું હતું. 47 વર્ષના સચિને કહ્યું હતું કે પોતે હોમ ક્વોરન્ટાઈન થયો છે અને સદનસીબે તેના પરિવારજનોમાંથી કોઈને કોરોના થયો નથી.
સચિન સહિતના કેટલાક નિવૃત્ત ક્રિકેટર્સ ગયા સપ્તાહે જ રોડ સેફટી ટી-20 સીરીઝની વેટરન ખેલાડીઓની મેચમાં શ્રીલંકાના ખેલાડીઓ સામે રમ્યા હતા અને મોડેથી મળતા અહેવાલો મુજબ ભારતનો એક વધુ નિવૃત્ત ખેલાડી, એસ. બદ્રીનાથ પણ કોરોનોગ્રસ્ત થયાનું તેણે જાહેર કર્યું હતું.