Sara Ali Khan is a devotee of Shiva
(Photo by RYAN LIM/AFP via Getty Images)
ઘણીવાર જુદી જુદી સેલીબ્રિટીઝના ચાહકોમાં એવી ચર્ચા હોય છે કે તેમને ચહેતા સ્ટાર્સ આસ્તિક હોય છે કે નાસ્તિક! પરંતુ આવી સેલીબ્રિટિઝ ઘણીવાર ધાર્મિક સ્થાનો પર દર્શન કરતી જોવા મળતી હોય છે. તાજેતરમાં મહાશિવરાત્રિ પાવન પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિઝટી પણ શિવ મંદિરોમાં દર્શન કરવા માટે ગઇ હતી. બોલીવૂડની યુવા અભિનેત્રી સારા અલી ખાન પણ શિવ ભક્ત છે. તેણે શિવરાત્રિએ શિવ મંદિરમાં જઇને ભગવાન ભોલેનાથના દર્શન કર્યા હતા.
તેણે પોતાની ઘણી તસવીર પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતા મહાદેવનો જયકારો પણ લગાવ્યો. સારા અલી ખાને તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘જય ભોલેનાથ.’ જેમાં તે ભક્તિના રંગમાં ડૂબેલી નજરે પડી રહી છે. તેણે કેદારનાથ, ઓમકારેશ્વર, ઉજ્જૈનના મહાકાલ, સોમનાથ મંદિર સહિત તમામ જગ્યાઓથી તસવીરો શેર કરી છે.આ અગાઉ પણ સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંઘ સાથે મંદિરોમાં દર્શન માટે ગઇ છે. આ અગાઉ પણ તેને ઘણી વખત તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ છે.

LEAVE A REPLY

5 − 4 =