(Photo by VALERY HACHE/AFP via Getty Images)

શર્મિલા ટાગોર 11 વર્ષ પછી બોલીવૂડમાં ફરીથી પદાર્પણ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ તેમણે તાજેતરમાં જ પૂર્ણ કર્યું છે. રાહુલ ચિત્તેલ્લા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ, સિમરન સિંહ બગ્ગા, અમોલ પાલેકર અને સૂરજ શર્માએ કામ કર્યું છે, જેને ઑગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં બત્રા પરિવારની ઘણી પેઢીઓની વાત કરવામાં આવી છે, જે 34 વર્ષ પછી તેમના પૈતૃક ઘરને હોમને છોડવાની હોય છે. આ ફિલ્મ અંગે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ‘એક લાંબા સમયના બ્રેક બાદ હું એક ફેમિલિયર અને સારી ફિલ્મના સેટ પર હાજર રહી હતી એની મને ખુશી છે. આ સ્ટોરીને ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે અને એથી એનું નરેશન જ્યારે મને કરવામાં આવ્યું કે મેં તરત જ ‘ગુલમોહર’ માટે હા પાડી દીધી હતી. આ ખૂબ જ સારી ફેમિલી ડ્રામા છે. મને ખાતરી છે કે લોકોને તેમના પરિવાર-મિત્રો સાથે આ ફિલ્મ જોવાનું પસંદ પડશે.’