Shri Ram Katha conducted by Shri Chandrakala Sakhi in London

મહાયોગી સિદ્ધબાબા સ્પિરિચ્યુઅલ એકેડમી યુકે દ્વારા શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી યુકેના સહયોગથી રામ નવમી અને હનુમાન જયંતિ પ્રસંગે નવ દિવસની નવાન્હ પારાયણ શ્રી રામ કથાનું આયોજન સાઉથોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ચંદ્રકલા સખી દ્વારા ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં મધુર કંઠે શ્રી રામ કથાનો લાભ આપી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

નેપાળના પુત્રી અને શ્રી જાનકી માતાના સનાતન ધર્મના ધ્વજવાહક શ્રી ચંદ્રકલા સખીજી હિમાલયન સિદ્ધ મહાયોગ ધ્યાન દ્વારા વિશ્વભરમાં યુવાઓ અને બાળકોમાં સક્રિયપણે ‘સંસ્કાર’ સ્થાપિત કરી રહ્યાં છે. શ્રી સખીજીએ વર્તમાન આધુનિક સંદર્ભ સાથે સુસંગત એવા દુર્લભ જ્ઞાનનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક સમજૂતીઓ સહિત આપણી વૈદિક સંસ્કૃતિની સમૃદ્ધિને પ્રકાશિત કરી હતી.

કથામાં નેપાળી એમ્બેસી લંડનના રાજદૂત, યુકેના કેબિનેટ મંત્રી, સંસદ સભ્યો, ભૂતપૂર્વ મેયર, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રના શ્રી રાજરાજેશ્વર ગુરૂજી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

eighteen + seventeen =