Siddhant Veer Suryavanshi of 'Kasauti Zindagi Ki' fame passed away at the age of 46
PTI

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર, દિપેશ ભાનના નિધન બાદ 11 નવેમ્બરે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા.  કસૌટી ઝિંદગી કી જેવી લોકપ્રિય ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા અને મોડલ સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉમરે નિધન થયું હતું. શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે સિદ્ધાંતનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાંત જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો અને ડૉક્ટરોએ તેને 45 મિનિટ સુધી જીવિત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો જીવ બચાવી ના શકાયો. પ્રાથમિક માહિતી અનુસાર, હાર્ટ અટેકના કારણે સિદ્ધાંતનું અવસાન થયું હતું. 

એક્ટર જય ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ન્યુઝને કન્ફર્મ કર્યા હતા. તેમને એક્ટર સિદ્વાંત વીરનો ફોટો શેર કરતાં લખ્યુ કે, “ભાઇ તુમ બહુત જલ્દી ચલે ગયે…” 

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશીમાંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ ‘કુસુમ’ દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ‘કૃષ્ણા અર્જુન’, ‘કસૌટી જિંદગી કી’, ‘ઝમીન સે આસમાન તક’, ‘વિરુદ્ધ’, ‘ભાગ્યવિધાતા’, ‘ક્યા દિલ મેં હૈ’ વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેને સીરિયલ ‘ગૃહસ્થી’માં ઋષિનો લીડ રોલ કર્યો હતો. 

સિદ્ધાંત સૂર્યવંશીને ટીવી શો ‘મમતા’માં અક્ષયના રોલ દ્વારા ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. ફેબ્રુઆરી 2020માં સિદ્ઘાંત ટીવી સીરિયલ ‘ક્યૂં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં એક્ટ્રેસ નેહા મર્દાની ઓપોઝિટ જોવા મળ્યો હતો. આ સિવાય તે ટીવી સીરિયલ ‘ઝિદ્દી દિલ માને ના’માં પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ તે ‘કંટ્રોલ રૂમ’માં મહત્વના પાત્રમાં જોવા મળ્યો હતો. 

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

fifteen + 6 =