બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દેશના વિદ્યાર્થીઓને ગણિતમાં સક્ષમ બનાવવા માટે એ સુનિશ્ચિત કરવા માગે છે કે ઈંગ્લેન્ડમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ 18 વર્ષની ઉંમર સુધી કોઈને કોઈ પ્રકારના ગણિતનો અભ્યાસ કરે. જેથી બ્રિટન દુનિયાની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલિ સાથે ટક્કર લઈ શકે. ઋષિ સુનક 2023 ના તેમના પ્રથમ ભાષણમાં આગામી વર્ષ માટે તેમની યોજનાઓ નક્કી કરવાના છે.

2023 ના તેમના પ્રથમ ભાષણમાં, ઋષિ સુનકે કહ્યું હતું કે ‘’હું ઇચ્છુ છું કે જ્યારે નાણાંની, મોરગેજ ડીલ જેવી બાબતોની વાત આવે ત્યારે લોકો “આત્મવિશ્વાસ અનુભવે”. પરંતુ વિવેચકોએ કહ્યું છે કે ગણિતના વધુ શિક્ષકો વિના આ યોજના શક્ય બનશે નહીં. 2021 અને 2030 વચ્ચે 16 થી 18 વર્ષની વયના લોકોની સંખ્યામાં કુલ 18 ટકાનો વધારો થવાનો અંદાજ છે. યુકેએ સંખ્યાના અમારા અભિગમની પુનઃકલ્પના કરવી જોઈએ. એવી દુનિયામાં જ્યાં ડેટા દરેક જગ્યાએ હોય છે અને આંકડા દરેક કામ પર આધાર રાખે છે, આપણા બાળકોને તે કુશળતા વિના તે દુનિયામાં જવા દેવાથી બાળકો નિરાશ થઈ જાય છે.‘’

શ્રી સુનકના જણાવ્યા મુજબ, 16 થી 19 વર્ષની વયના લોકોમાંથી માત્ર અડધા લોકો ગણિતનો અભ્યાસ કરે છે. આ આંકડામાં વિજ્ઞાનના અભ્યાસક્રમો કરતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેઓ પહેલેથી જ ફરજિયાત GCSE અને કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર તેના બદલે હાલની લાયકાતોના વિસ્તરણ તેમજ “વધુ નવીન વિકલ્પો” શોધી રહી છે. સરકાર સ્વીકારે છે કે આગામી સામાન્ય ચૂંટણી પહેલા તેનો અમલ કરવો શક્ય નથી, જો કે વડાપ્રધાન આ સંસદમાં તેમની યોજના પર કામ કરવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે.

જો કે, એસોસિએશન ઑફ સ્કૂલ એન્ડ કૉલેજ લીડર્સે જણાવ્યું હતું કે “ગણિતના શિક્ષકોની તીવ્ર અછત” છે અને તે યોજના “તેથી હાલમાં અશક્ય છે”. 2021માં, ઈંગ્લેન્ડમાં રાજ્યની માધ્યમિક શાળાઓમાં ગણિતના 35,771, ઇંગ્લિશના 39,000 અને વિજ્ઞાનના 45,000 શિક્ષકો હતા. ગણિત શિક્ષકોની સંખ્યા 2012 ની સરખામણીએ 9% વધારે છે, પરંતુ તેમ છતાય સમગ્ર દેશમાં અછત નોંધાઈ છે.

LEAVE A REPLY

19 − seven =