ગુજરાતમાં સોમવાર, 9 જૂને કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર કરી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની આ લહેરમાં અત્યાર સુધી ચાર વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,104 થઈ હતી. આમાંથી 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1,076 દર્દીઓની ઓપીસી સારવાર ચાલુ છે અથવા આઇસોલેશનમાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ છેલ્લાં 24 કલાકમાં 106 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. અમદાવાદની સોલા સિવિલમાં કોવિડ ચેપ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે દાખલ 16 વર્ષની એક છોકરીનું મૃત્યુ થયું હતું, જે વર્તમાન કોરોના લહેરમાં રાજ્યમાં ચોથું મૃત્યુ હતું. અત્યાર સુધી નોંધાયેલા ચારેય મૃત્યુ મહિલાઓના છે.
સોમવારે અમદાવાદમાં ૧૩૧ નવા કોવિડ કેસ નોંધાયા હતાં, જેનાથી શહેરમાં સક્રિય કેસની સંખ્યા ૬૪૬ થઈ ગઈ હતી. INSACOGના ડેટા અનુસાર, સમગ્ર ભારતમાં કોવિડ-19ના XFG વેરિઅન્ટના 163 કેસ નોંધાયા છે, જેમાંથી ગુજરાતમાં 11 કેસ છે.
