છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં અને ખાસ તો હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મો પાયે નુકસાન થયું છે. કહેવાય છે કે, ફક્ત હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. સિમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટાપાયે ધોવાણ થયું છે અને તેમાં 60થી વધુ લોકોના મૃત્યુ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને એમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને રૂ.15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડાશે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

LEAVE A REPLY

four × 2 =