Who does Sunil Shetty consider ideal?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

‘હેરા ફેરી’ની સિક્વલની નવી ફિલ્મને કારણે સુનિલ શેટ્ટી ફરીથી ચર્ચામાં છે. ફિરોઝ નડિયાદવાલા અને અક્ષયકુમાર વચ્ચેના વિવાદને શાંત કરવામાં સુનિલે સેતુની ભૂમિકા ભજવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે દિવસથી અક્ષયકુમારને ‘હેરા ફેરી’ સિક્વલની ત્રીજી ફિલ્મમાં કાર્તિક દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યો છે તેવા સમાચાર વહેતા થયા હતા ત્યારથી જ સુનિલ શેટ્ટીએ અક્ષયના ફિલ્મમાં સમાવેશ કરવા માટે બીડું ઝડપ્યું હતું અને તેમાં તે સફળ પણ રહ્યા છે. સુનિલ શેટ્ટીએ એક સમયના ડાન્સિંગ અને કોમેડી સુપરસ્ટાર ગણાતા ગોવિંદા અંગે પોતાની વ્યથા જણાવી છે.

ગોવિંદા અંગે વાત કરતા સુનિલે જણાવ્યું હતું કે, અમારા જેવા એક્ટર્સ માટે ગોવિંદા આદર્શ છે. તે ખૂબ જ દયાળુ વ્યક્તિ છે અને જયારે તમે તેમની સાથે કામ કરો છો ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય છે. ગોવિંદાનું કોમિક ટાઈમિંગ ગજબનું છે. મેં તેમની સાથે ફિલ્મ ‘લૂંટ’માં કામ કર્યું હતું અને હું તેમનાથી ઈમ્પ્રેસ થયો હતો પણ મને લાગે છે કે, તેમણે કામ કરવાનું છોડી દઈને ખોટું કર્યું છે. તેમના આ નિર્ણયથી હું અપસેટ છું. તેઓ દરરોજ કામ નથી કરી રહ્યા. તેમણે નિયમિત કામ કરતા રહેવું જોઈએ. ઈન્ડસ્ટ્રી તેમના ટેલેન્ટને મિસ કરી રહી છે.

LEAVE A REPLY

one + three =