Swara Bhaskar angry with
(Photo by STRDEL/AFP via Getty Images)

પોતાના બિન્દાસ વલણ માટે જાણીતી સ્વરા ભાસ્કર શાહરુખ ખાન અને આદિત્ય ચોપરાથી નારાજ હોય તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. સ્વરાનો આક્ષેપ છે કે, આ બંનેએ તેની લવલાઇફ ખતમ કરી છે. સામાન્ય રીતે સામાજિક અને રાજકીય મુદ્દા પર વિવાદાસ્પદ નિવેદન આપનારી સ્વરાએ પોતાની નવી ફિલ્મ ‘જહાં ચાર યાર’ના પ્રમોશન દરમિયાન લવ લાઈફ વિશે ચર્ચા કરી હતી.

સ્વરાએ આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનને મારી લવલાઈફ બરબાદ કરવા માટે જવાબદાર છે. નાની ઉંમરમાં શાહરૂખની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈ હતી અને ત્યારથી હું એવા રાજની શોધ કરી રહી છું, જે અસલ શાહરૂખ જેવો દેખાતો હોય. મને આ વાત સમજવામાં ઘણાં વર્ષ લાગ્યાં કે હકીકતમાં કોઈ રાજ હોતું જ નથી.

પોતાના એકલવાયા જીવન અંગે સ્વરાએ જણાવ્યું હતું કે, આવું જીવન જીવવું અઘરું છે અને જીવનસાથી શોધવાનું કામ કચરો ફંફોસવા જેવું છે. સ્વરા ચાર વર્ષ અગાઉ વીરે દી વેડિંગમાં જોવા મળી હતી. તેની નવી ફિલ્મ જહાં ચાર
યારમાં સ્વરાની સાથે મેહર વિજ, શિખા તલસાણિયા અને પૂજા ચોપરા પણ છે. આ ફિલ્મ ચાર મહિલાઓની મિત્રતા પર આધારિત છે. આ ઉપરાંત સ્વરા ભાસ્કર મિસિસ ફલાનીમાં પણ લીડ રોલ કરી રહી છે.

LEAVE A REPLY

two × 5 =