(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

વીતેલા જમાનાના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અત્યારે બોલિવૂડના વ્યવહારથી ઘણા દુઃખી છે. અનેક યાદગાર ફિલ્મો આપનારા ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર ક્યારેય પોતાનું માર્કેટિંગ કરતો નથી. તેમનું કામ જ તેમની ઓળખ છે. તેમના પુત્ર સન્ની દેઓલે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોવા છતાં ક્યારેય પોતાના વખાણ કર્યા નથી.

બોલિવૂડમાં ક્યારેય પોતાને કે પરિવારને યોગ્ય માન-સન્માન ન મળ્યું હોવાનો દાવો ધર્મેન્દ્રએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ચાહકોના પ્રેમના કારણે ટકી શક્યા છે. હિન્દી સિનેમાએ ક્યારેય તેમના યોગદાનની નોંધ લીધી નથી. થોડા સમય અગાઉ સન્ની દેઓલે પણ બોલિવૂડના બનાવટી સંબંધો પર કટાક્ષ કર્યો હતો.

બોલિવૂડમાં મિત્રતા અને સંબંધો નામ માત્રના હોવાનું સન્નીએ કહ્યું હતું. હવે ધર્મેન્દ્ર પણ બોલીવૂડ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સન્ની દેઓલની ફિલ્મ ગદર 2ને પ્રથમ સપ્તાહમાં 300 કરોડથી વધુની આવક થઇ હતી. અનેક ફિલ્મકારોએ ગદરની સીક્વલની પ્રશંસા કરી છે ત્યારે ધર્મેન્દ્રના આવા નિવેદનથી બોલીવૂડમાં તેની ચર્ચા થઇ રહી છે.

LEAVE A REPLY

14 − 5 =