અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. (PTI Photo)

અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યુ હતું. આ ઓપરેશનમાં સામેલ તમામ વિમાનો અને કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ માટે ઉપયોગમાં લેવાયેલા ભારતીય હવાઇદળના સી-17 અને સી-130 પોતાના બેઝ પર પાછા આવી ચુકયા હતા.

ભારતે પોતાના કેટલાક વિમાનોને તાજિકિસ્તાનમાં આવેલા એરબેઝ પર તૈનાત કરાયા હતા. આ વિમાનોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાંથી લોકોને ભારત પાછા લાવવા માટે કરાયો હતો. રેસ્ક્યુ મિશન માટે સાથે સાથે એર ઈન્ડિયાના વિમાનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.