કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. (PTI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુરુવારે નવી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અમિત શાહે પોતાના પરિવારના સભ્યો અને પક્ષના કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે અમિત શાહે અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરે પરિવાર સાથે વિશેષ પૂજા કરી હતી. ત્યારબાદ ગાય માતાની પૂજા કરી હતી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈને જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મેપલ ટ્રીના ધાબા પર અમિત શાહે પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી.અહીં સમર્થકો અને સ્થાનિકોનો જમાવડો જોવા મળ્યો હતો. તેમણે અહીં લોકોનું અભિવાદન ઝીલી સહુનો આભાર માન્યો હતો.