લદાખ સરહદે ભારત અને ચીનના લશ્કરો વચ્ચે તંગદિલી યથાવત્ છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના પાંચ લોકોને ચીની સેના દ્વારા અપહરણ કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કરતા કહ્યું છે કે ચીનની સેનાએ સીમા પરથી પાંચ ભારતીયોનું અપહરણ કરી લીધું છે.
અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કરતા કહ્યું કે, પાંચ લોકોનું કથિત રીતે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. થોડા મહિના અગાઉ પણ આ પ્રકારની એક ઘટના ઘટી હતી. ચીનની સેનાને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ ઘટના મામલે નિનૉન્ગે પીએમઓને ટ્વીટ કરતા આ અંગેની જાણકારી આપી છે.