ધૂમકેતુ

ગુજરાતી સાહિત્યવકાશના ધ્રુવના તારા સમાન ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુની 61મી પુણ્યતિથિ નિમિત્તે એમની કેટલીક વિશ્વપ્રસિદ્ધ નવલિકાઓના પઠન ‘વાચિક્મ્’ કાર્યક્રમનું આયોજન તા. 13 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી એટલાન્ટા દ્વારા એટલાન્ટાના ગ્લોબલ મોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ એટલાન્ટાના ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો વાર્તા પઠનનો કાર્યક્રમ એટલાન્ટાના સાહિત્ય વર્તુળમાં પ્રથમવાર યોજાયો હતો અને સૌથી મહત્વની વાત એ હતી કે ફક્ત એટલાન્ટાના જ નહિ પણ વિશ્વભરમાંથી ઘણા સાહિત્ય પ્રેમીઓએ ખૂબ જ ઉમળકાભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધૂમકેતુની 8 ટૂંકી વાર્તાઓનું વાચિક્મ એટલે કે પઠન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને બહેરીનથી પણ ગુજરાતી સાહિત્યને અખૂટ પ્રેમ કરતા રસિકોએ પોતાની વાર્તા પઠન કરી વિડીયો દ્વારા આયોજકોને મોકલાવી હતી અને પ્રેક્ષકોએ ટેક્નોલોજીના માધ્યમથી દૂર રહે રહે પણ આ વાર્તાઓ માણી હતી.

આ કાર્યક્રમનું વિચાર બીજ શ્રી મુસ્તુફા અજમેરીનું હતું અને IGCSAની ટીમની સહિયારી મહેનતથી કાર્યક્રમ અદભુત રીતે સફળ રહ્યો હતો. ધૂમકેતુના પૌત્રી કલ્યાણી મહેતા અને પ્રપૌત્રી જુહી મહેતા દેસાઈએ આ કાર્યક્રમ નિમિત્તે ખાસ એક વિડીયો સંદેશ પણ મોકલ્યો હતો.

આ વાચિક્મ કાર્યક્રમમાં ઉમા મજમુદાર, હરીશભાઇ મહેતા (બહેરીન), સંજય પંડ્યા (એટલાન્ટા), ભરત સાંગાણી (અમદાવાદ), ડૉ. ધવલ શાહ (એટલાન્ટા), રજનીકાંત રાવલ (આણંદ), લીના કિનારીવાળા (અમદાવાદ), ફાલ્ગુની ત્રિવેદી શાહ, પ્રફુલ પંચાલ, નિમેષ સેવક અને ભૂષણ નીરુ મહેતા (એટલાન્ટા)એ ભાગ લઇ પોતાની રચનાઓ રજૂ કરી હતી.