Indian nationals are pictured outside a school that was turned into a centre to receive residency violators wishing to avail an amnesty Kuwait announced for April, amid the coronavirus COVID-19 pandemic crisis, in Kuwait City on April 16, 2020. (Photo by YASSER AL-ZAYYAT / AFP) (Photo by YASSER AL-ZAYYAT/AFP via Getty Images)

કુવૈતે આકરા પગલા ભરતા ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરૂવારે સવારે કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલીપીન્સથી આવનારા લોકોને બાદ કરતા અન્ય દેશોમાં રહેતા કુવૈતી નાગરિક અને પ્રવાસીઓ દેશમાં અવર-જવર કરી શકે છે.

ભારતીય વિદેશ મંત્રાલયને ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા આ પ્રતિબંધ અંગેની માહિતી છે અને તેઓ પ્રશાસનિક સ્તર પર આ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરબ મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર કમ્યૂનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ જણાવ્યું કે આ નિર્ણયથી જેઓ ભારત જઈને ત્યાં કોરોનાની મહામારીના કારણે ફસાઈ ગયા છે તેવા હજારો લોકોની નોકરીઓ છીનવાઈ જશે.

સ્થાનિક મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા હજારો પરિવાર છે કે જેમના કેટલાક લોકો કુવૈતમાં રહી રહ્યા છે અને કેટલાક લોકો ભારત જઈને ફસાઈ ગયા છે અને હવે તે તમામ લોકો કુવૈત પરત ફરવા માગે છે. રજા માણવા ભારત ગયેલા લોકો જો પરત નહીં ફરી શકે તો તેમની નોકરીઓમાંથી હાથ ધોઈ બેસસે. ઘણા બધા લોકોના વીઝા પૂર્ણ થઈ રહ્યા છે અને જો આગામી સમયમાં પણ કુવૈત આ જ વલણ દાખવશે તો આવા લોકોના વીઝા રિન્યૂ નહીં થઈ શકે.