RBI bought 10 tonnes of gold in the March quarter
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નાણાપ્રધાને વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી ઉદ્યોગ તેમજ જેમ્સ-જ્વેરી ઉદ્યોગને ઘણી મોટી રાહત આપી છે. બજેટમાં સરકારે બુલિયન અને જેમ્સ જ્વેલરી ઉદ્યોગને રાહત આપતા કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. બજેટમાં સરકારે સોનાના પરની આયાત જકાત ઘટાડીને 7.5 ટકા કરી છે જે હાલ 12.5 ટકા છે. ઉલ્લેખનિય છે કે, ચીન બાદ ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. મોદી સરકારે જૂલાઇ-2019માં સોના-ચાંદીની આયાત જકાત વધારીને 12.5 ટકા કરી હતી. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાને પગલે દિલ્હીમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,324 રૂપિયા તૂટ્યા હતા. જોકે ચાંદીના ભાવ કિગ્રા દીઠ 3,461 રૂપિયા ઉછળીને 72,479 રૂપિયા થયા હતા.

હવે વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સરકારે સોના-ચાંદી પરની આયાત જકાત ઘટાડતા આ કિંમતી ધાતુઓના ભાવ ઘટવાની શક્યતા છે. બજેટ ભાષણમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે, સોના અને ચાંદી પરની જકાતને તર્કસંગત બનાવવામાં આવશે. બજેટમાં કસ્ટમ જકાત ઘટવાની જાહેરાતથી સોનાના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 1300 રૂપિયા જેટલો ઘટીને 47850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચા સ્તરે ક્વોટ થયો હતો. જો કે ચાંદીમાં 3500 રૂપિયા ઉછળી હતી જેનું કારણ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં આવેલી તેજી છે.નવા બજેટમાં સરકારે સોના-ચાંદીની સાથે-સાથે અન્ય કિંમતી ધાતુઓની પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. જેમાં પ્લેટિનમ અને પેલેડિયમની આયાત જકાત જે હાલમાં 12.5 ટકા છે જે ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.