ભારતમાં કોવિડ-19ના નવા વેરિયેન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી મોતમાં પણ થઈ રહ્યાં છે. શનિવારે એક જ દિવસમાં નવા વેરિયેન્ટને કારણે નવ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં અત્યારે કોરોનાના કુલ 7400 સક્રિય કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ કેરળ અને ગુજરાતમાં છે. કેરળમાં 2055 દર્દીઓની પુષ્ટિ થઈ છે અને ગુજરાતમાં 1000 થી વધુ લોકો સંક્રમિત છે.
કેરળમાં કોરોના વાઇરસને કારણે 82 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિને ટાઇપ-1 શ્વસન નિષ્ફળતા, તીવ્ર એન્સેફાલોપથી અને કોવિડ ન્યુમોનિયા પણ હતો. જોકે આરોગ્ય નિષ્ણાતોએ પહેલેથી જ જણાવ્યું છે કે આ વખતે કોરોના એવા લોકોને વધુ અસર કરી રહ્યો છે, જેઓ પહેલેથી જ કોઈ રોગના દર્દીછે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં નવા કોવિડ દર્દીઓની પણ પુષ્ટિ થઈ છે.
