ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ વોર્નરે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપીને આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, વોર્નરે ક્યારેય એર ઇન્ડિયામાં પ્રવાસ નહીં કરવાનો સંકલ્પ લીધો હતો.વોર્નરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે તે ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી કરશે નહીં. હકીકતમાં વોર્નર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીમાં એર ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રૂ સભ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે. તે કહે છે કે એર ઇન્ડિયા સતત ખામીયુક્ત વિમાનનો ઉપયોગ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રથમવાર નથી જ્યારે વોર્નરે એર ઇન્ડિયા સામે નારાજગી વ્યક્ત કરી હોય. આ વર્ષે માર્ચમાં, વોર્નરને પ્રવાસ દરમિયાન પાઇલટ વિના વિમાનમાં બેસવું પડ્યું હતું અને તેના કારણે તેમને વિમાનમાં અંદર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું ‘અમે પાઇલટ વિના વિમાનમાં ચઢ્યા અને કલાકો સુધી વિમાનમાં રાહ જોઈ. એર ઇન્ડિયા, તમે મુસાફરોને એ જાણીને કેમ બેસવા દો છો કે ફ્લાઇટ માટે કોઈ પાઇલટ ઉપલબ્ધ નથી?’ આ પછી, એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, બેંગલુરુમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અને ઘણી એરલાઇન્સને ફ્લાઇટમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે.
