અમેરિકાએ તેના નાગરિકોને એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે ગુના અને બળાત્કારને કારણે ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખો. આ ઉપરાંત આતંકવાદને કારણે મધ્ય અને પૂર્વૃ ભારતના કેટલાંક વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળો.
ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવાયું હતું કે બળાત્કાર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ગુનાઓમાંનો એક છે તથા પ્રવાસન અને બીજા સ્થળોએ સ્થળોએ જાતીય હુમલા સહિતના હિંસક ગુનાઓ થાય છે. તેથી નાગરિકો અને ખાસ કરી મહિલાઓને ભારતમાં કોઈ પણ પ્રવાસન સ્થળ કે અન્ય સાર્વજનિક સ્થાનો પર વધુ સાવચેતી રાખવી જોઇએ.
આતંકવાદના ખતરાનો ઉલ્લેખ કરીને અમેરિકાએ પોતાના નાગરિકોને પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજાર-શોપિંગ મોલ જેવા સ્થળોએ સાવધ રહેવાની અપીલ કી હતી, કારણ કે આવા સ્થળો પર આતંકવાદી હુમલાઓની શક્યતા રહે છે. જમ્મુ-કાશ્મીર માટે ખાસ ચેતવણી અપાઈ હતી. જ્યાં આતંકવાદ અને નાગરિક અશાંતિના કારણે યાત્રા નહીં કરવાની સલાહ અપાઈ છે. આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. નાની-મોટી હિંસા થતી રહે છે અને ભારત-પાકિસ્તાનની વચ્ચેની નિયંત્રણ રેખા (એલઓસી) પર સામાન્ય છે. કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો જેવા કે શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામમાં પણ હિંસા થાય છે.
એડવાઇઝરીમાં જણાવાયું હતું કે અમેરિકન સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં તેના નાગરિકોને ઇમર્જન્સી સેવાઓ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા છે, જે પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી પશ્ચિમ પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે. માઓવાદી ઉગ્રવાદી જૂથો અથવા નક્સલવાદીઓ ભારતના એક વિશાળ વિસ્તારમાં સક્રિય છે જે પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તરી તેલંગાણાથી પશ્ચિમ પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે
