સહહદી રાજ્ય મણિપુરમાં વ્યાપક વંશિય હિંસાના આશરે એક વર્ષ પછી બુધવાર, 4 ફેબ્રુઆરીએ ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહની આગેવાની હેઠળ નવી સરકારની રચના કરાઈ હતી. મુખ્યપ્રધાન ખેમચંદ સિંહની નવી સરકારના શપથગ્રહણ પહેલા મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી 2025માં એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી અમલમાં આવેલા રાષ્ટ્રપતિ શાસન દરમિયાન મણિપુરની વિધાનસભા સ્થગિત કરાઈ હતી. ખેમચંદ મૈતેઇ સમુદાયના છે. નાયબ મુખ્યપ્રધાન નેમચા કિપગેન અને લોસી દિખો અનુક્રમે કુકી અને નાગા જાતિના છે. અહીં ઉલ્લેખનીય છે રાજ્યમાં મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે વંશિય હિંસા થયા પછી રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું.
ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહને 3 ફેબ્રુઆરી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત(વર્ષ 2017 અને 2022)ના ધારાસભ્ય છે. તે તેઓ સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયાં હતાં, તેઓ વર્ષ 2017માં મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં, તેમને 2022 સુધી પાંચ વર્ષ સુધી વિધાનસભા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જે બાદ યુમનામ ખેમચંદ સિંહને બીરેનસિંહ સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં.
મણિપુરની 60 સભ્યોની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 37, કોંગ્રેસના 5, નેશનલ પીપલ્સ પાર્ટીના 6, નાગા પીપલ્સ ફ્રન્ટના 5, કુકી પીપલ્સ એલાયન્સના 2, જનતા દળ યુનાઇટેડના એક અને 3 અપક્ષ ધારાસભ્યો છે.














