Asaram granted bail in forged document case, but will remain in jail
(ANI Photo)

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સ્થિત આસારામ આશ્રમની જમીનના સરકાર દ્વારા સંપાદન સામેની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદાથી કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા આસારામ આશ્રમને તોડી પાડી તેની જગ્યાએ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જમીન સંપાદનનો માર્ગ મોકળો થયો હતો.

સરકારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલી આશ્રમની જમીન ખાલી કરવાની નોટિસ આપી હતી. તેની સામે આસારામ આશ્રમે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ આશ્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નિર્માણાધીન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નજીક આવેલો છે અને તેના પર સરકાર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માગે છે.

આશ્રમની અરજી સામે દલીલ કરતા સરકારી વકીલ જી.એચ. વિર્કે જણાવ્યું હતું કે દાયકાઓ પહેલા મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે જમીન આપવામાં આવી હતી અને તેની કાયદેસર સીમાઓથી સતત વિસ્તરી રહી છે. જમીન એવી શરતો પર આપવામાં આવી હતી કે તેનો ઉપયોગ વ્યાપારી પ્રવૃત્તિ, અનધિકૃત બાંધકામ માટે કરવામાં આવશે નહીં અને પરવાનગીઓનું કડક પાલન કરાશે. છતાં, તપાસમાં બહાર આવ્યું કે વ્યાપક બાંધકામ કરાયું છે અને આજુબાજૂની જમીન પર અતિક્રમણ કરાયું છે.

અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યું છે. ત્યારે આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીન પરત મેળવવાનો પ્રયાસ આ વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ વિકસાવવાના પ્રયાસોને વેગ આપે છે. 84 વર્ષીય આસારામ આસારામને ૨૦૧૩માં રાજસ્થાનમાં તેમના આશ્રમમાં એક સગીરા પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૩માં ગાંધીનગરની એક કોર્ટે તેમને બીજા બળાત્કાર કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

LEAVE A REPLY