અમેરિકાની મલ્ટીનેશનલ ટ્રાન્સપોર્ટેશન કંપની ઉબેર ટેકનોલોજીએ ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ બાલાજી કૃષ્ણમૂર્તિની ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્તિ કરી છે. તેઓ કંપનીમાં આ હોદ્દા પર પ્રશાંત મહેન્દ્ર-રાજાનું સ્થાન લેશે, જેઓ લગભગ ત્રણ વર્ષના કાર્યકાળ પછી રાજીનામું આપી રહ્યા છે. છ વર્ષથી વધુ સમયથી ઉબેર સાથે કાર્યરત 41 વર્ષીય કૃષ્ણમૂર્તિ 16 ફેબ્રુઆરીથી સીએફઓની ભૂમિકા સંભાળશે.
કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે આ પદ પર નિયુક્ત થવું સન્માનની બાબત છે. નિર્વિવાદ પણ વૈશ્વિક મોબિલિટી અને ડિલિવરી લીડર તરીકે તથા નોંધપાત્ર રોકડ પ્રવાહ સાથે અમારી પાસે ટેકનોલોજી કંપની તરીકે અમારું સ્થાન વધુ મજબૂત કરવાની તક છે.
ઉબેરના સીઈઓ દારા ખોસરોવશાહીએ જણાવ્યું હતું કે બાલાજીને ઉબેરના બિઝનેસને અંદરથી અને બહારથી જાણે છે અને તેઓ એક તેજસ્વી, નિર્ણાયક વ્યૂહરચનાકાર છે. તેમણે વર્ષોથી મારી અને અમારી મેનેજમેન્ટ ટીમ સાથે નજીકથી કામ કર્યું છે. ઉબેર માટે બીજા એક મોટા વર્ષની શરૂઆત સાથે તેઓ સીએફઓ તરીકે પદ સંભાળશે, તેનાથી હું ખૂબ જ રોમાંચિત છું.
કૃષ્ણમૂર્તિ 2019માં ઉબેરમાં જોડાયાં હતાં અને અગાઉ તેઓ સ્ટ્રેટેજિક ફાઇનાન્સ અને ઇન્વેસ્ટર રિલેશન્સના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળતા હતા. છ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ મૂડી ફાળવણી અને નાણાકીય આયોજનમાં સામેલ રહ્યા છે.
લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, કૃષ્ણમૂર્તિએ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સમાં બીઇની ડિગ્રી લીધી હતી. સત્ય નડેલાએ પણ સંસ્થામાંથી એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હતો. કૃષ્ણમૂર્તિએ પછીથી કોપનહેગન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ગુડગાંવની મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમબીએ કર્યું હતું.













