વિશ્વના વિવિધ દેશોએ 2025માં આશરે 22,900 ભારતીયોને અમાન્ય વિઝા અથવા અયોગ્ય દસ્તાવેજને કારણે ડિપોર્ટ કર્યા હતાં. આમાંથી 3,806 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતાં, જ્યારે યુકેએ 70 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતાં.
સંસદમાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલય (MEA) જણાવ્યું હતું કે અમેરિકામાં હ્યુસ્ટનમાંથી સૌથી વધુ 234, સાન ફ્રાન્સિસ્કોમાં 49, ન્યુયોર્કમાંથી 47 તથા એટલાન્ટા અને સિએટલમાંથી 31-31 ભારતીયોનો દેશનિકાલ કરાયો હતો.
સાઉદી અરેબિયામાં સૌથી વધુ ભારતીયોને દેશનિકાલ કર્યાં હતાં, જેમાં જેદ્દાહથી 8,921 અને રિયાધથી 4,335 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યાં હતાં. સંયુક્ત આરબ અમીરાતનો બીજો ક્રમ આવે છે, જેમાં દુબઈથી ૭,૮૯૬ અને અબુ ધાબીથી ૧,૬૬૨ લોકોને દેશનિકાલ કરાયા હતાં.
બીજા દેશોમાં મલેશિયાએ ૧,૬૭૫, મ્યાનમારે ૧,૬૦૫ લોકોને પાછા મોકલ્યા હતાં. સિંગાપોરે ૩૦૦, માલદીવે ૧૫૦ અને યુનાઇટેડ કિંગડમે ૭૦ લોકોને દેશનિકાલ કર્યા હતાં.
સરકારે કહ્યું હતું કે તે વિદેશમાં રોજગાર માટે જતા ભારતીય નાગરિકોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. ઇમિગ્રેશન એક્ટ 1983 મુજબ, કોઈપણ વ્યક્તિ કે એજન્સી રજીસ્ટરિંગ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ માન્ય લાઇસન્સ વિના ભરતી એજન્ટ (RA) તરીકે કાર્ય કરી શકતી નથી













