(ANI Video Grab)

કેન્દ્રીય બજેટ પછીના પહેલા નીતિ વિષયક નિર્ણયમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો. રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય અપેક્ષિત હતો. બેંકે આ વર્ષ અને આગામી બે ક્વાર્ટર માટે ફુગાવાના અંદાજમાં પણ થોડો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્ક નાના મૂલ્યના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફ્રોડમાં ગ્રાહકોને રૂ.25,000 સુધીના નુકસાનની ભરપાઈ કરવા માટે એક માળખું તૈયાર કરાશે.

નાણાકીય નીતિની સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકને અંતે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક સેન્ટ્રલ બે્કની નાણાકીય વ્યૂહરચના નક્કી કરવા માટે દર બે મહિને આવી બેઠક યોજતી હોય છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે વેપાર કરાર પછી મજબૂત આર્થિક વૃદ્ધિની શક્યતા છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે યુએસ વેપાર સોદો અર્થતંત્ર માટે શુભ સંકેત છે, કારણ કે ભારત સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક છે. આરબીઆઈએ નાણાકીય નીતિના વલણને પણ “તટસ્થ” રાખ્યું હતું, જે સૂચવે છે કે દર થોડા સમય માટે નીચા રહેશે.

ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. આંતરિક ડેટા વૃદ્ધિની ગતિ દર્શાવે છે જે લાંબા સમય સુધી ટકી શકે છે.આગામી નાણાકીય વર્ષના માર્ચ-મે 2026 ક્વાર્ટરાં ફુગાવાનો અંદાજ વધારીને 4 ટકા કરાયો હતો, જે અગાઉ 3.9 ટકા હતો. આ પછી ફુગાવો વધીને 4.2 ટકા કરવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 7.4 ટકા રહેવાની ધારણા છે.

LEAVE A REPLY