ભારત સરકારે રાજ્યસભામાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 3800થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકામાંથી દેશનિકાલ (ડીપોર્ટ) કરવામાં આવ્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બર સુધીમાં અમેરિકન તંત્ર દ્વારા ડીપોર્ટ કરાયેલા લોકોમાં 3,414 ભારતીયોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય રણદીપ સિંહ સુરજેવાલાએ છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકા અને અન્ય દેશોમાંથી ડીપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા, ટ્રાવેલ એજન્સીઓના રજિસ્ટ્રેશન સહિતના પગલાં અને ગેરકાયદે “ડંકી રૂટ” માઇગ્રેશન ઘટાડવા માટે કોઈ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછ્યો હતું. પ્રધાન કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ભારત સરકાર ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન સંબંધિત તમામ બાબતોમાં અમેરિકા અને અન્ય દેશની સરકારો સાથે ગાઢ સંકલનથી કાર્યરત છે.

LEAVE A REPLY