પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચ (IPPR) દ્વારા પ્રકાશિત થયેલા નવા વિશ્લેષણ મુજબ, પ્રસ્તાવિત હોમ ઓફિસ ઇમિગ્રેશન સુધારા હેઠળ યુકેમાં રહેતા 300,000થી વધુ બાળકોને કાયમી વસવાટ માટે દસ વર્ષ રાહ જોવાની ફરજ પડી શકે છે. કેર વર્કર્સ સહિત ગ્રેજ્યુએટ લેવલના કેટલાક રોલમાં કામ કરવા આવેલા કેટલાક માઇગ્રન્ટ્સને તો 15 વર્ષ સુધી રાહ જોવાની જરૂર પડશે.

આ યોજનાઓ સરકારની પ્રસ્તાવિત “અર્ન્ડ સેટલમેન્ટ” સિસ્ટમમાં ફેરફાર કરશે, જેમાં માઇગ્રન્ટ લોકો માટે કાયમી વસવાટ (ILR) માટેનો પ્રમાણભૂત લાયકાતનો સમયગાળો પાંચથી 10 વર્ષ સુધી લંબાવવામાં આવશે.

IPPRનો અંદાજ છે કે હાલમાં સ્થાયી થવાના માર્ગો પર રહેલા 1.35 મિલિયન લોકોમાંથી 23 ટકા માત્ર બાળકો જ છે, જેઓ મોટાભાગે કામ કરતા માતાપિતાના આશ્રિતો છે.

થિંક ટેન્કે ચેતવણી આપી છે કે જો આ નીતિ પાછલી અસરથી લાગુ કરવામાં આવશે તો હાલના નિયમો હેઠળ આવેલા પરિવારોના સ્વપ્ના પડી ભાંગશે અને તેમની અપેક્ષાઓ અચાનક ઉલટી થઈ શકે છે. IPPR કહે છે કે લાંબા સમય સુધી અસુરક્ષા એકીકરણને નબળું પાડશે, ઉચ્ચ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ધિરાણની પહોંચને મર્યાદિત કરશ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં બાળ ગરીબીમાં વધારો કરવાનું જોખમ ધરાવે છે.

IPPR દલીલ કરે છે કે વસાહતના લાંબા માર્ગો યુકેની આવશ્યક કામદારોને આકર્ષવા અને જાળવી રાખવાની ક્ષમતાને પણ નબળી પાડે છે, જેનાથી આર્થિક વિકાસ અટકી જાય છે. સંસ્થા પહેલાથી જ કાયમી વસવાટ કરવા માંગતા માઇગ્રન્ટ લોકો માટે સ્પષ્ટ સુરક્ષાની માંગ કરી રહી છે અને ન્યાય, સ્પષ્ટતા અને સામાજિક એકીકરણ સુનિશ્ચિત કરવાના હેતુથી છ સિદ્ધાંતો નક્કી કર્યા છે.

IPPRના માર્લી મોરિસે જણાવ્યું હતું કે સેટલમેન્ટ દરમિયાન નિયમો બદલવાથી “માનવીય અને આર્થિક બંને ખર્ચ” થશે, જેના કારણે ઘણા બાળકો તેમના ભવિષ્ય વિશે ચોક્કસ ખાતરી વિના મોટા થશે.

LEAVE A REPLY