વર્લ્ડ કપ
સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે અડાલજની વાવ ખાતે ફોટોશૂટ કરાવ્યું હતું PHOTO Credit @ICC

ગુજરાતના ગાંધીનગર નજીક આવેલી અડાલજ વાવ પાસે સોમવાર, 9 માર્ચે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખાસ ફોટોશૂટ માટે T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લીધી હતી. અડાલજની વાવ અને નજીકની શેરીઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં, કેટલાક ઉત્સાહી ક્રિકેટ પ્રેમીઓ યાદવને વધુ સારી રીતે જોવા માટે ટેરેસ અને દિવાલો પર ચઢી ગયાં હતા.

કેપ્ટન ટ્રોફી સાથે પહોંચતા જ ચાહકોએ “ભારત…ભારત”ના નારા લગાવ્યા હતાં. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અડાલજ વાવની મુલાકાત એક પ્રમોશનલ ફોટોશૂટનો ભાગ હતી જેમાં ભારતીય કેપ્ટન વર્લ્ડ કપ ટ્રોફી સાથે હતાં. ભૂતકાળમાં ઐતિહાસિક સ્થળો પર આવા જ ફોટોશૂટ યોજવામાં આવ્યા છે.

અડાલજની વાવ તરીકે જાણીતી આ વાવ ગુજરાતના સૌથી પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોમાંની એક છે, જે ભારત અને વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે.અમદાવાદથી લગભગ ૧૮ કિલોમીટર દૂર આવેલી આ વાવ ૧૪૯૯માં વાઘેલા શાસક રાણા વીર સિંહની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા બનાવવામાં આવી હતી. પાંચ માળનું આ બાંધકામ તેની જટિલ કોતરણી અને વિશિષ્ટ ઈન્ડો-ઈસ્લામિક સ્થાપત્ય શૈલી માટે પ્રખ્યાત છે.મધ્યયુગીન સમયમાં આ અષ્ટકોણીય વાવ એક સમયે પાણીના સ્ત્રોત અને પ્રવાસીઓ માટે આરામ સ્થળ તરીકે સેવા આપતી હતી. આજે, તેના અલંકૃત સ્તંભો, ગેલેરીઓ અને સુંદર કોતરણીવાળી દિવાલો તેને ગુજરાતના સૌથી પ્રશંસનીય વારસા આકર્ષણોમાંનું એક બનાવે છે.

LEAVE A REPLY