મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે રવિવારે જાહેરાત કરી હતી કે ગુજરાત, ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરાની 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ગુજરાતના ઉમરેઠ વિધાનસભા બેઠક પર 23 એપ્રિલે પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ 4મેએ જાહેર થશે.
વર્તમાન ધારાસભ્યોના મૃત્યુને કારણે આઠેય મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ જરૂરી બની હતી. આઠ મતવિસ્તારમાં ગોવામાં પોંડા, કર્ણાટકમાં બાગલકોટ અને દાવનાગેરે દક્ષિણ, નાગાલેન્ડમાં કોરીડાંગ, ત્રિપુરામાં ધર્મનગર, ગુજરાતમાં ઉમરેઠ અને મહારાષ્ટ્રમાં રાહુરી અને બારામતીનો સમાવેશ થાય છે.
ચૂ્ંટણીના સમયપત્રક મુજબ પેટાચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન 30 માર્ચ, 2026ના રોજ બહાર પાડવામાં આવશે. જાહેર રજાના દિવસો સિવાય, 30 માર્ચથી 6 એપ્રિલ, 2026 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 7 એપ્રિલે થશે, જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ, 2026 રહેશે.
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 6 માર્ચે 72 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ 1995, 1998, 2017 અને 2022માં ચાર વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. આ સમયગાળા દરમિયાન જ્યારે તેઓ 1995 માં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પહેલી વાર પ્રવેશ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી.













