ઈરાન યુદ્ધના કારણે ભારતમાં કસાયેલા વિદેશી નાગરિકો માટે ભારતે તેમની વિઝાની મુદ્દત 30 દિવસ લંબાવવાની તેમજ મુદત વિત્યા પછી પણ ભારતમાં રોકાણ બદલ કોઈ દંડ નહીં કરવાની જાહેરાત કરાઈ છે.
દુબઈ ખાતેની ભારતીય કૉન્સ્યુલેટે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યા મુજબ ભારત આવેલા વિદેશીઓના તમામના વિઝા કે ઈ-વિઝાની મુદ્દત પુરી થઈ ગઈ હોય અથવા તો પુરી થવામાં હોય એ તમામની મુદત ગ્રેટિસ આધારે જુરિસડિક્શનલ ફોરેનર્સ રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસીઝ (FRROS) માટે એક મહિનો લંબાવાશે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પછી કસાયેલા તમામ વિદેશી નાગરિકોને વિઝાની મુદત વિત્યા છતાં ભારતમાં ઓવરસ્ટે કરવા બદલ દંડ પણ નહીં કરાય. પ્રવાસીઓની અટકી ગયેલી અવરજવરના પગલે પ્રવાસના રૂટ ફરી ખુલે ત્યારે વિદેશી નાગરિકોને એક્ઝિટ પરમીટ વિના મૂલ્યે જારી કરાશે. કોઈ વિદેશી નાગરિક એક્ઝિટ પરમીટ કે વિઝાની મુદ્દત લંબાવવા માટે અરજી કરી શકે તેમ ના હોય તો એ સંજોગોમાં પણ તેના વધારાના રોકાણ કે પ્રોસિજરના અભાવને માઈગ્રેશન કાયદાનો ભંગ નહીં ગણાય.
સંજોગોવસાત ફલાઈટ ડાઈવર્ટ કરાય તો એ કારણોસર ભારત આવેલા વિદેશી નાગરિકને ટેમ્પરરી લેન્ડિંગ પરમીટ (ટીએલપી) પણ ગ્રેટિસ આધારે અપાશે.














