
સ્થાનિક ડાયસ્પોરાને તેમના મૂળ સાથે જોડવાના સતત પ્રયાસરૂપે ગયા સપ્તાહે કેન્ટનમાં આવેલ મહાવીર ફાઉન્ડેશન સંચાલિત જૈન દહેરાસર ખાતે ગરવી ગુજરાત સાપ્તાહિકની નકલોનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.
મંદિર ખાતે યોજાઇ રહેલા સમુદાયના ચૈત્રમાસ નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગ જેવા મહત્વપૂર્ણ પ્રસંગને આ માટે ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ઉપવાસ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનો આ નવ દિવસનો તહેવાર 25 માર્ચ, 2026 ના રોજ શરૂ થયો હતો. આ શુભ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભારત બહાર વિશ્વના સૌથી વધુ વંચાતા ગુજરાતી ન્યૂઝવીકલી ગરવી ગુજરાત સાપ્તાહિક વાંચીને આનંદ વ્યક્ત કર્યો હતો. 555 કેન્ટન રોડ પર આવેલા દેરાસરમાં ઉપસ્થિત ભક્તો દ્વારા આ પહેલનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાંથી ઘણા લોકો યુકે, આંતરરાષ્ટ્રીય અને ભારતીય સમાચારોના વ્યાપક કવરેજ માટે માત્ર ગરવી ગુજરાત પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાવીર ફાઉન્ડેશન હાલમાં જૂનમાં તેના 14મા પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરી રહ્યું છે અને આઉટરીચ માટે એક કેન્દ્ર બની રહ્યું છે.
જૈન સમુદાયના વિશાળ વર્ગ સુધી પહોંચવાની આદર્શ તક પૂરી પાડવા બદલ ગરવી ગુજરાત પરિવારે મહાવીર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને પદાઘિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.













