ગુજરાતના ચૂંટણી પંચે 26 એપ્રિલે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની બુધવાર, 1 એપ્રિલે જાહેરાત કરી હતી. રાજ્યની 15 મહાનગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમ જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં પ્રથમ વગર અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેના અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે.
ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. ચૂંટણી માટે ઉમેવારી પત્ર 6 એપ્રિલથી ભરી શકાશે. ઉમેદવારીની ચકાસણીચકાસણી 13 એપ્રિલે થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે.સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ પહેલા પૂરી કરાશે. સ્થાનિક સ્વરાજની કુલ 9,992 બેઠકો પર ચૂંટણી યોજાશે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, બરોડા સહિત 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકા માટેની ચૂંટણી યોજાશે.
ગુજરાત સરકારે તાજેતરમાં 8 નગરપાલિકાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપ્યો હતો. ત્યાં પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે.
રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.













